અયોધ્યામાં મોકાની જગ્યાઓ પર પ્રોપર્ટીના ભાવ 900% વધ્યા.

Spread the love

અયોધ્યા એક ધાર્મિક સ્થળ તરીકે તો વિકસી જ રહ્યું છે, સાથે સાથે અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ મોટા પાયો વિકાસ થયો છે. તેના કારણે રિયલ એસ્ટેટના ભાવમાં જોરદાર તેજી આવી છે. ચાર-પાંચ વર્ષના ગાળામાં જ મોકાની જગ્યાઓના ભાવ આઠથી 10 ગણા વધી ગયા છે. હજુ એક દાયકામાં આખું ચિત્ર બદલાઈ જાય તેવી શક્યતા છે.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ચાલુ છે અને પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન આ શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે એટલા મોટા પાયે કામ થઈ રહ્યું છે કે શહેરની સિકલ જ બદલાઈ ગઈ છે. નવા, પહોળા રસ્તા અને બીજા કોમર્શિયલ ડેવલપમેન્ટના કારણે અયોધ્યામાં કેટલીક જગ્યાઓ પર પ્રોપર્ટીના ભાવ 900 ટકા સુધી વધી ગયા છે. આગામી દિવસોમાં અહીં બિઝનેસનો ભારે વિકાસ થશે તે નક્કી હોવાથી દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ અને હોટેલની ભારે માંગ જોવા મળે છે.

ઉત્તર પ્રદેશના ઘણા ધનાઢ્ય લોકોને અયોધ્યાના રિયલ એસ્ટેટમાં નફો દેખાઈ રહ્યો છે તેથી તેઓ ખરીદી કરી રહ્યા છે અને રિયલ્ટીના ભાવ ઊંચકાતા જાય છે. જાણકારોનું કહેવું છે કે ચારથી પાંચ વર્ષ અગાઉ અહીં મકાનો કે દુકાનોના જે ભાવ ચાલતા હતા તેની તુલનામાં આઠથી 10 ગણો વધુ ભાવ બોલાય છે. રિયલ્ટી સેક્ટરના લોકો કહે છે કે આ તો હજુ શરૂઆત છે. એક વખત રામ મંદિર મુલાકાતીઓ માટે ઓપન થઈ જશે ત્યાર પછી અહીં એટલી મોટી સંખ્યામાં યાત્રીઓ આવશે કે તેમને સમાવવા માટે ટાઉનશિપ બનાવવી પડશે. આગામી અમુક વર્ષમાં અયોધ્યા નજીક ઘણી ટાઉનશિપ અને પ્રાઈવેટ હોટેલો શરૂ થાય તેવી શક્યતા છે.ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટા પાયે કામકાજકોલિયર્સ ઈન્ડિયાના સિનિયર ડાયરેક્ટર વિમલ નાદરે જણાવ્યું કે અયોધ્યાની આસપાસ મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. સૌથી પહેલા તો એરપોર્ટ ચાલુ થઈ ગયું છે અને તેને હવે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત રોડ, હોટેલ, હોસ્પિટલો બનાવવા પર કામ ચાલુ છે. ધાર્મિક ટુરિઝમના કારણે અયોધ્યાના વિકાસની ભરપૂર શક્યતાઓ છે.

રામ મંદિર તૈયાર થઈ જશે ત્યારે રોજના લાખો ભાવિકો આ શહેરમાં આવે તેવી શક્યતા છે. તેમના રહેવા અને જમવા માટે સુવિધાઓ કરવી પડશે. તેથી લોજિંગ અને બોર્ડિંગના બિઝનેસમાં તેજી આવશે. આ ઉપરાંત ટુરિઝમને લગતી બીજી સેવાઓ પણ વધશે.NRIને પણ અયોધ્યામાં રસ પડ્યોસ્કવેર યાર્ડના પ્રિન્સિપાલ પાર્ટનર રવિ નિર્વાલ જણાવે છે કે જે રોકાણકારોને અયોધ્યાની તેજીમાંથી ફાયદો મેળવવો હોય તેઓ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારના પ્રોજેક્ટમાં મૂડી રોકી શકે છે. ભવિષ્યમાં બંનેના ભાવ વધવાના છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર રોકાણ કરવામાં વધુ ફાયદો થાય તેમ લાગે છે. ત્રિધાતુ રિયલ્ટીના સહસ્થાપક અને ડિરેક્ટર પ્રિતમ ચિવુકુલા કહે છે કે રોકાણકારો હાલમાં જમીન, પ્લોટ અને ફ્લેટ માટે વધારે ઈન્કવાયરી કરી રહ્યા છે. સ્થાનિક લોકો ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોની પણ ઘણી પૂછપરછ આવી છે જેના કારણે પ્રોપર્ટીના ભાવ વધી ગયા છે.રિયલ એસ્ટેટમાં કેટલું વળતર મળી શકે?રામ મંદિર માટે શીલારોપણ થયું ત્યારથી જ જમીન-મકાનોના ભાવમાં પાંચથી 10 ગણો વધારો થઈ ગયો છે. કોઈ પણ જગ્યા રામ મંદિરથી કેટલી નજીક છે તેના આધારે તેનો ભાવ વધે છે. અમુક જગ્યાએ ભાવ 20,000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ ચાલે છે જ્યારે કેટલીક જગ્યાએ અત્યારે માત્ર બે હજાર રૂપિયા પ્રતિ ફૂટના ભાવે રિયલ એસ્ટેટ ખરીદી શકાય છે. રામ મંદિરથી 10 કિમીની ત્રિજયામાં જમીન, મકાન અને દુકાનના ભાવ સૌથી વધારે છે. આગામી એક દાયકામાં નજીકના એરિયામાં ભાવો 12થી 20 ગણા સુધી વધે તેવી શક્યતા છે. મંદિરની નજીકની પ્રોપર્ટીનો ભાવ 18 હજાર રૂપિયા પ્રતિ ફુટની આસપાસ પણ ચાલે છે.અયોધ્યા નજીક રિયલ્ટી ક્યાં ખરીદવી?એક્સપર્ટનું કહેવું છે કે અયોધ્યામાં લાંબા ગાળા માટે રોકાણ કરીને નફો કમાવો હોય તો ચૌદહ કોશી પરિક્રમા, રિંગ રોડ, દેવકલી, નયાઘાટ વગેરે વિસ્તારોમાં મિલકત ખરીદવી જોઈએ. આ ઉપરાંત ગોરખપુર-ફૈઝાબાદ હાઈવેની આસપાસ પણ જમીનના ભાવોમાં તીવ્ર ઉછાળાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *